Shree Swaminarayan Gurukul

India / Gujarat / Rapar /
 Upload a photo

Nearby cities:
Coordinates:   23°33'32"N   70°38'54"E

Comments

  • Subject: WAS JALIYAWALA HATYAKAND ONLY ONE? Dear All from :Confirmation of editor of Biz TV GUJARATI રાજ્યના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પંચમહાલ જિલ્લાના સંતરામપુરના માનગઢ ખાતે સોમવારે 63મા વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આઝાદીના સંગ્રામ વખતે 17 નવેમ્બર 1913નાં રોજ અહીં અંગ્રેજો અને આદિવાસીઓ વચ્ચે સશસ્ત્ર સંગ્રામ ખેલાયો હતો. ગોવિંદ ગુરુના નેતૃત્વ હેઠળ ખેલાયેલાં આ સંગ્રામમાં એક હજાર 507 આદિવાસીઓ શહિદ થઈ ગયાં હતા. પંજાબના જલિયાવાલા બાગ કરતાં પણ અહીં બમણી સંખ્યામાં આદિવાસી ક્રાંતિકારીઓએ શહિદિ વહોરી હતી. છતાં દેશના ઈતિહાસમાંથી આ બલિદાનોને ભૂલાવી દેવાયાં છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાને અહીં 1 હજાર 507 વૃક્ષનું વાવેતર કરાવી શહિદોની યાદમાં સ્મૃતિ વન અને રાશિ વનના નિર્માણની જાહેરાત કરી હતી. એટલું જ નહીં આગામી વર્ષે આ ઘટનાને પૂરા એકસો વર્ષ થવાનાં છે ત્યારે તેમણે આવતા વર્ષે ક્રાંતિની શતાબ્દિની ઉજવણીની જાહેરાત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન મુખ્ય પ્રધાને ગોહત્યા સંદર્ભે કોંગ્રેસની કેન્દ્ર સરકારની પણ ટીકા કરી હતી. On Sunday 13 April 1919, Dyer was convinced, As we heard of the JALIYA WALA BAAG HATYA KAND, we generally know only ONE, I must appreciate attempts of DIVYA BHASKAR for bringing the second such CRUEL reality in front of the PUBLIC. BUT this is not the End of such CRUELTY, KUTCH has The SIMILAR HATYAKAND but was away and far from the CENTRAL area so NO ONE has NOTICED and not even recorded in History pages. KUTCH RAAJ Kingdom also ignored those as their dependency on EAST INDIA COMPANY and they were PAYING KHANDANI to EAST INDIA COMPANY at that time. RECORDS of SUCH payments and TREATIES are attached (Amount paid in KUTCH KORIES). EAST INDIA company has destroyed all evidences against them to hide those MURDERING people. BUT still "PAAP taru parkash" will be high lighted and the informations will comes out. IN VAGAD crime was committed the during those period under the command of East India commander (CAMP was in BHUJ - Under the hills of BHUJIYA - foot hills of BHUJIYA - known as camp area of BHUJ) These are not ONLY incinets but Still can be found by excavating the mass graves in Rapar VAGAD. And Many more at many other places can be found. સાબરકાંઠાના વનવાસી વીરોને પ્રણામ ઇ.સ.૧૯૧૯. વૈશાખીના દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજ જનરલ ડાયરે સર્જેલો નરસંહાર ભારતીય સ્વાધીનતા સંગ્રામના ઇતિહાસનાં પૃષ્ઠો પર સૌથી ભયાનક નરસંહાર રૂપે અંકિત છે, પરંતુ આ ભીષણ ઘટનાનાં બરાબર ત્રણ વર્ષ પછી સાતમી માર્ચ, ૧૯૨૨ના રોજ સાબરકાંઠા જિલ્લાના ભીલોડા તાલુકાના પાલ ગામ નજીક સર્જા‍યેલો 'પાલ-ચિતરિયા નરસંહાર’ આના કરતાં પણ વધારે ભીષણ હતો, પરંતુ આ વનવાસી વિસ્તાર અને શહેરથી દૂર હોવાથી વનવાસી વીરોની વીરતા જંગલમાંથી દબાઇ ગઇ. એ દિવસે અંગ્રેજ અધિકારીના આદેશથી કરાયેલા ગોળીબારમાં સેંકડો વનવાસીઓ હુતાત્મા થઇ ગયા. સ્વાતંત્ર્યસંગ્રામમાં વનવાસીઓની વીરતાનું આ એક અંતિમ પૃષ્ઠ છે, પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આ મહાભીષણ નરસંહારનો ક્યાંય કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. ૧૨૦૦ લોકોની લાશોનો ઢગલો જ્યાં ખડકાયો હતો એ ભીલોડા તાલુકાનું પાલ-ચિતરિયા ગામ આજે 'વનવાસી સ્વાતંત્ર્યવીરોની હુતાત્મા-ભૂમિ’ના નામે ઓળખાય છે. 'પાલ’ અને 'ચિતરિયા’ ગામ દ્દઢવાવ ગામની બિલકુલ આજુબાજુમાં જ છે. આથી જ આ ઘટના 'પાલ-ચિતરિયા નરસંહાર’ના નામથી જાણીતી થઇ. આ ભૂમિ પર અંગ્રેજ અમલદાર મેજર એચ. જી. સટ્ટનના આદેશથી અંધાધૂંધ ગોળીઓ ચલાવી સ્વતંત્રતા ઝંખતા લોકોને કીડી-મકોડાની જેમ મારી નાખ્યા હતા અને તેમની લાશોને કૂવામાં ફેંકાવી દીધી હતી. જાગીરદારી શાસન સમયે 'પાલ’ નામની એક નાનકડી જાગીર હતી. વનવાસી ક્ષોત્રોમાં જાગીરદારી શોષણ અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેના સંઘર્ષમાં આ ગામની મુખ્ય ભૂમિકા રહી છે. 'પાલ’ ઘટનાના નેતા મોતીલાલ તેજાવત હતા, જેમણે 'એક આંદોલન’ના માધ્યમથી મેવાડના ખેડૂતોની સાથે-સાથે ગુજરાતના વનવાસીઓને પણ સંગઠિત કર્યા હતા. દ્દઢવાવ ગામની નાનકડી 'હેર’ નદીના એક કિનારે લીલાછમ્મ ચણાનાં ખેતર અને બીજા કિનારે આંબાનાં વૃક્ષો એક જ હારમાં ઊભેલાં આંબાનાં પાંચ-સાત વૃક્ષોને સ્થાનિક વનવાસીઓ 'હારાવાળા આંબા’ના નામે ઓળખતા હતા. એ આંબાનાં વૃક્ષોથી થોડે દૂર 'જોરાવરની ડુંગરી’ આવેલી હતી. તે ટેકરી પર મેવાડ ભીલ કોર બંદૂક તાકીને ઊભી હતી. નદીના કાંઠે પાલનાં ખેતરોમાં ચણા વાવ્યા હતા, નદીના કિનારે એક કૂવો હતો. કૂવા કિનારે એક બહુ જ મોટું વડનું ઝાડ હતું. મોતીલાલ તેજાવત, જેઓ 'મોતીલાલ ગાંધી’ના નામે જાણીતા હતા. તેઓ આ સંગ્રામના નેતા હતા. મોતીલાલ ઊંટ પર બેસીને સભાસ્થાન પર આવ્યા હતા. તેમની સાથે દક્ષિણ રાજસ્થાનથી આવેલા લગભગ બે હજાર વનવાસીઓએ સભાસ્થાન નજીક ચૂલા પેટાવીને રોટલા ખાધા હતા. વનવાસીઓ પોતાનાં પરંપરાગત શસ્ત્ર-સરંજામ જેવાં કે દેશી બંદૂક, તીરકામઠાં, તલવાર, ભાલા વગેરે સાથે સભામાં હાજર રહ્યા હતા. સ્ત્રીઓ પણ ઘરેણાંથી લદાઇને આવી હતી.
This article was last modified 16 years ago